Categories
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

કલોલમાં કોરોના નિયમો ન પાડતા લોકો સામે તંત્રની લાલ આંખ

ગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે.  કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.  કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના  ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ  ડી માર્ટ  એમડી મસાલા  jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.

Categories
અમદાવાદ ગુજરાત

રાજ્યમાં કોરોના સંકટને લઈ કેન્દ્રની 3 ડૉક્ટરની ટીમ અમદાવાદમાં

દિવાળી બાદ ગુજરાતમાં કોરોના કેસોમાં વધારો થયો છે, ત્યારે કેન્દ્રની એક ટીમ શનિવારે ગુજરાત આવી પહોંચી હતી અને કેન્દ્રીય ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. ત્યારબાદ ડો.સુજીત કુમાર  સહિત અન્ય સભ્યોની SVP હોસ્પિટલ ની મૂલાકાત પૂર્ણ કરી રિવરફ્રન્ટ હાઉસ પર પહોંચ્યા હતા અને રિવરફ્રન્ટ હાઉસ ખાતે ACS ડો.રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ  કમિશનર મુકેશકુમાર  સાથે કોરોના અંગે ની કામગીરીની ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન મનપા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત 104 સેવા, ધન્વંતરિ રથ સેવા, વડીલ સુખાકારી સેવા,કોરોના દર્દી માટેની સેવાની વિવિધા યોજનાઓ અંગે કામગીરી ની પણ સમીક્ષા કરવામાં આવી છે. મહત્વનું છે કે, હાલમાં SVP હોસ્પિટલ માં 700 જેટલા કોવિડ દર્દી સારવાર લઈ રહયા છે..તેમાંથી 138 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે, છે તો બીજી બાજુ SVP હોસ્પિટલનો અંદાજે 3 હજાર જેટલો નર્સિંગ સ્ટાફ ધન્વંતરિ રથ માં જોડાયેલો હોવાથી સ્ટાફ અપૂરતો હોવાની માહિતી સામે આવીછે આ ઉપરાંત 1500 બેડ ની SVP હોસ્પિટલમાં વધુ કોવિડ દર્દી ને દાખલ કરવા માટે બેડ ખાલી હોવાછતાં નર્સિંગ સ્ટાફ ની અછતના કારણે વધુ દર્દી ને લાવવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે SVP હોસ્પિટલ માં નવા દર્દી ડિસ્ચાર્જ થાય તો જ નવા દર્દીને સારવાર આપી શકાય તેવી સ્થિતિ.

Categories
ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ : ઉમરેઠના ઓડ નગરપાલિકા વિસ્તારમાં લોકડાઉન

આનંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ માટે લોકડાઉન અમલી કરવામાં આવતા બજારો બંધ રહ્યા છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. નગરપાલીકાના જાહેરનામાને પગલે ઓડ ગામ સંપુર્ણ બંધ રહેતા રસ્તા સુમસામ રહ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા રાજ્યમાં મોટા શહેરોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. જે રાત્રી ગાળામાં અમલી રહેશે.

Categories
ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

હવે જૂનાગઢમાં લીલી પરિક્રમાને પણ કોરોનાનું ગ્રહણ નડ્યું

કોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Categories
બોલીવુડ રાષ્ટ્રીય

500 કરોડ રૂપિયાના માનહાની કેસમાં અક્ષય પર યુટ્યુબર ભડક્યો

યુટ્યુબર રાશિદ સિદ્દીકીએ અક્ષય કુમારના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને કહ્યું કે આ આરોપોનો ઉદેશ હેરાન કરવાનો છે. જયસ્વાલે જવાબમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું. જવાબમાં આગળ લખ્યું છે કે, ‘સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા.’

Categories
ગુજરાત સુરત

સુરત ભાજપના નેતા અને પૂર્વ IT અધિકારી PVS સરમાની ધરપકડ

સુરતમાં ભાજપના નેતા અને પૂર્વ આઇટી આધિકારી પીવીએસ સરમાની શનિવારે ધરપકડ કરાઇ છે, ત્યારબાદ હવે તેમને કોર્ટમાં રજૂ કરાશે. શહેરના જ્વેલર્સ સામે કરચોરીનો આરોપ મૂક્યા બાદ સરમા વિવાદોમાં સપડાયા હતા. તે પછી તેમના ઠેકાણે દરોડા પડાયા હતા. આ દરોડામાં જેમાં બેનામી સંપત્તિ મળી આવી હતી. જો કે સરમાની ધરપકડ કરાય તે પહેલાં તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી તેમને હોસ્પિૉટલ ખસેડાયા હતા. ત્યારબાદ હવે જ્યાંથી આજે તેમની વિધિવત ધરપકડ કરાઇ હતી. આ દરમિયાન સુરત ભાજપના નેતા અને પૂર્વ આવકવેરા અધિકારી પીવીએસ સર્માની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેને પગલે આઇટીએ પી.વી.એસ. સરમા ઘરે અને અન્ય સ્થળો પર દરોડા પાડી ખોટા વ્યવહારો સહિત બેનામી સંપત્તિ મળી હોવાનો દાવો કર્યો હતો.

Categories
ગુજરાત પોલીટીકસ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે અજમેર દરગાહની મુલાકાત લીધી

ગુજરાત કોંગ્રેસ વર્કિંગ કમિટિના ચેરમેન હાર્દિક પટેલે શનિવારે અજમેર ખાતે સૂફી સંત ખ્વાજા મોઇનુઉદ્દીન ચિસ્તી – ગરીબ નવાઝની દરગાહ પર હાજરી આપી ચાદર પેશ કરી હતી.હાર્દિક પટેલે રાજસ્થાન વકફ બોર્ડના ચેરમેન ખાનું ખાન અને અન્ય લોકો સાથે અજમેર શરીફ દરગાહની મુલાકાત લીધી હતી. શનિવારે વહેલી સવારે 10.30 વાગ્યે હાર્દિક પટેલ અજમેર દરગાહ પર પહોંચ્યા હતા, જ્યાં તેમનો ખાદીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાર્દિક અરજમેર દરગાહ પરિસરમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા.અજમેર શરીફ દરગાહના ખાદીમ સૈયદ સુહેલ અહેમદ નિયાઝીએ કે જે દરગાહમાં હાર્દિક પટેલની સાથે હાજર રહ્યા તેમણે ગુજરાત એક્સક્લૂઝિવ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્દિક પટેલે દેશ અને ગુજરાતના તમામ નાગરિકોની સલામતી અને ખાસ કરીને કોરોનામાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી. હાર્દિક પટેલે મન્નતનો ધાગો પણ બાંધ્યો હતો. અજમેર શરીફ દરગાહની હાર્દિક પટેલે બીજીવાર મુલાકાત કરી છે. આ પહેલા વર્ષ 2018માં પણ હાર્દિક પટેલે અજમેર શરીફ દરગાહમાં હાજરી આપી હતી. ચાલુ નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને 11મી નવેમ્બર થી 2 ડિસેમ્બર વચ્ચે 17 દિવસ ગુજરાત બહાર જવાની મંજૂરી આપી છે.

Categories
પોલીટીકસ રાષ્ટ્રીય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી તમિળનાડુની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચેન્નાઈ પહોંચ્યા છે. આ સમય દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. માનવામાં આવે છે કે ભૂતપૂર્વ ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ) સાંસદ કે પી રામલિંગમ શનિવારે અમિત શાહને મળશે અને ભારતીય જનતા પાર્ટીના સભ્યપદમાં જોડાશે. અગાઉ કેપી રામલિંગમ તમિલનાડુમાં પાર્ટીના કાર્ય પ્રભારી સીટી રવિને મળ્યા હતા. આ વર્ષે માર્ચમાં, પાર્ટીએ ડીએમકેના પૂર્વ સાંસદ વિરુદ્ધ શિસ્તબદ્ધ કાર્યવાહી કરી હતી અને કોરોના રોગચાળા અંગે ચર્ચા કરવા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં સ્ટાલિનના પ્રસ્તાવથી જુદા હોવાને કારણે તેમનું પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કેપી રામલિંગમને અગાઉ 2014 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એમ કે અલાગીરીને સમર્થન આપ્યું હતું. રામલિંગમ અગાઉ 1996 માં ડીએમકે પાર્ટીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2010 માં, તેમને ડીએમકે દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા. ડીએમકેમાં જોડાતા પહેલા તે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્રા કળગમમાં હતા અને 1980 અને 1984 ની વચ્ચે ધારાસભ્ય પણ હતાં. કેપી રામલિંગમને અગાઉ 2014 માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કારણ કે તેમણે એમ કે અલાગીરીને સમર્થન આપ્યું હતું. રામલિંગમ અગાઉ 1996 માં ડીએમકે પાર્ટીમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પછી, 2010 માં, તેમને ડીએમકે દ્વારા રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા. ડીએમકેમાં જોડાતા પહેલા તે ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્રા કળગમમાં હતા અને 1980 અને 1984 ની વચ્ચે ધારાસભ્ય પણ હતાં. અમિત શાહની મુલાકાત પહેલા સીટી રવિએ વિરોધી પક્ષોને ચેતવણી આપી છે કે શાહના આગમન પછી રાજ્યનું ભાગ્ય બદલાઇ રહ્યું છે. તેઓ અહીં આવશે અને વિરોધનો નાશ કરશે. વિપક્ષી પાર્ટીઓના લોકો અહીંથી ભાગશે.
Categories
ગુજરાત દક્ષિણ ગુજરાત

નવસારી : ચીખલીના સમરોલી ગામના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય

નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સમરોલી ગામેથી  પસાર થતા અંભેઠા ગામ સુધીના રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. વહેલી તકે આ ખાડાને ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રાત્રી ગાળાં મોટી દુર્ઘટનાનો ખતરો વધારે છે. માર્ગ અને મકાન વિભાગના  અધિકારીઓની ઉદાસીનતા દેખાઇ રહી છે. લોકોનુ કહેવુ છે કે અહીંથી પસાર થતી વેળા કોઇ પણ સમય મોટી દુર્ઘટના થઇ શકે છે.  તંત્ર દ્વારા જલ્દી રસ્તાનું સમારકામ હાથ ધરવા અને ખાડા ટેકરાને પુરી દેવાની લોકો માંગ કરી રહ્યા છે

Categories
અમદાવાદ ગુજરાત

અમદાવાદમાં હજુ કોરોનાના 2867 એક્ટિવ કેસ રહ્યા

સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જારી છે. અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યા 2867 સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 470 એક્ટિવ કેસ રહેલા છે. અમદાવાદના જુદા જુદા ભાગોમાં એક્ટિવ કેસોની સંખ્યા અવિરતપણે વધી રહી છે. વિવિધ ઝોનની વાત કરવામાં આવે તો મધ્ય ઝોનમાં 295, પશ્ચિમ ઝોનમાં 470, ઉત્તર ઝોનમાં 378, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 463, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 446 અને પૂર્વ ઝોનમાં 406 એક્ટિવ કેસ નોંધાયા છે. આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં હજુ સુધી કુલ કેસની સંખ્યા 43288 નોંદાઇ છે. કુલ મોતનો આંકડો અમદાવાદમાં 1903 સુધી પહોંચી ગયો છે.