ગુજરાતમાં કોરોના કેસોમાં એકાએક વધારો થયા બાદ સંબંધિત વિભાગો જોરદાર રીતે સક્રિય થઇ ગયા છે. જેના ભાગરૂપે શનિવારના દિવસે વધુ 5 દુકાનો કલોલ શહેર વિસ્તારમાં સીલ કરવામાં આવી હતી..કુલ 7 દુકાનો સોશિયલ ડિસ્ટન્સના અભાવે સીલ કરવામાં આવી છે. કલોલ શહેર વિસ્તારમાં કલોલ નગરપાલિકા ટીમ,ચીફ ઓફીસર મનોજ સોલંકી, મામલતદાર ડી આર પટેલ, મામલતદાર એમ એમ પટેલ, ટીડીઓ મૌલિક દોન્ગા, શહેર પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી. કુલ 7 દુકાનો સોશિયલ distance ના અભાવે સીલ કરી દેવામાં આવી હતી. 15000 રૂપિયાનો માસ્ક વિનાના ઇસમોને દંડ કરવામા આવ્યો છે. આ ઉપરાંત ઓશિયા મોલ ડી માર્ટ એમડી મસાલા jmd મસાલા બેંક ઓફ બરોડા વગેરેમાંથી તપાસ કરી માસ્ક ન પહેરવા બદલ ઇસમો સામે દંડ કરવામાં આવ્યો હતો.
Category: દક્ષિણ ગુજરાત
કોરોના વાયરસે ગુજરાતમાં ફરીથી કહેર વર્તાવાનું શરુ કરી દીધું છે, ત્યારે આ વર્ષે દરેક તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. એવામાં આ વર્ષે કોરોનાને કારણે ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ એટલે કે નવરાત્રી ને પણ મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યારબાદ હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળી ના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર તરફથી પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે પ્રમાણે આ વર્ષે સૌરાષ્ટ્રની શાન એવા ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા નહીં યોજાય. દર વર્ષે દેવદિવાળીના દિવસથી ગિરનારની પરિક્રમા યોજાય છે. વર્ષોથી આ પરંપરા રહી છે. દર વર્ષે આશરે 10 લાખથી વધારે લોકો આ પરિક્રમામાં જોડાયા હોય છે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સમરોલી ગામેથી પસાર થતા અંભેઠા ગામ સુધીના રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. વહેલી તકે આ ખાડાને ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રાત્રી ગાળાં મોટી દુર્ઘટનાનો ખતરો વધારે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઉદાસીનતા દેખાઇ રહી છે. લોકોનુ કહેવુ છે કે અહીંથી પસાર થતી વેળા કોઇ પણ સમય મોટી દુર્ઘટના થઇ શકે છે. તંત્ર દ્વારા જલ્દી રસ્તાનું સમારકામ હાથ ધરવા અને ખાડા ટેકરાને પુરી દેવાની લોકો માંગ કરી રહ્યા છે
નવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા ખાતે આવેલું જલારામ બાપાના મંદિરનું ભૂમિપૂજન તારીખ – 12 /8/1981 ના રોજ પૂ. ડોંગરેજી મહારાજના શુભ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે તારીખ – 21 મીના રોજ જલારામ બાપાના મંદિરમાં 221 મી જલારામ જ્યંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જય જલારામ બાપાની જન્મ જ્યંતી નિમિતે મંદિરમાં રક્ત દાન પણ કરવામાં આવ્યું હતું.મંદિરમાં દર્શન માટે આવતા જલારામ ભગતો માટે દર્શન પહેલા સેનેટાઇજેશન કરી મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી મંદિરમાં દર્શન કરવા માટે આવવાની ખાસ સૂચના આપી હતી. જય જલારામ બાપાના 221 મી જન્મ જયંતી પ્રસંગે 56 ભોગની મીઠાઈ ચઠાવવામાં આવી હતી. જ્યારે જલારામ ભક્તોએ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
શિયાળો પોતોના પગદંડો જમાવી ચૂક્યો છે અને માટે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવામાં આવી રહ્યો છે. ગુજરાતની વાત કરવામાં આવે તો, 10.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હોવાનું નોંધવામાં આવે છે. જો કે, અમદાવાદમાં લઘુત્તમ 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું, તો વડોદરામાં 18.0 ડિગ્રી લઘુત્તમ તાપમાન, સુરતમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન અને રાજકોટમાં લઘુત્તમ 13.0 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. શિયાળો છે માટે ઠંડી તો વધશે જ પણ જો વાત કરવામાં આવે દેશની રાજધાની દિલ્હીની તો, દિલ્હીમાં તો નવેમ્બર માસમાં જ ડિસેમ્બર માસ જેવી ઠંડી નોંધવામાં આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસનો ખતરો યથાવત છે અને રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલુ થઇ ગઈ છે,, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ 1420 પોઝિટિવ કેસ નોંધાયા છે,. તો 7 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંકડો 1.94 લાખને પાર પહોંચ્યો છે, જયારે કુલ ૩૮૩૭ દર્દીનાં મોત થઈ ગયા છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 327, સુરતમાં 246, વડોદરામાં 155, રાજકોટમાં 127, ગાંધીનગરમાં 86, બનાસકાંઠામાં 54, મહેસાણામાં 52, પાટણમાં 49 સહિત કુલ 1420 કેસ નોંધાયા છે. આ દરમિયાન રાજ્યમાં અત્યારે કુલ 13,050 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 92 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 12,958 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,77, 515 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય ત્રણ શહેરોમાં શનિવારથી એટલે કે આવતીકાલથી રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.સરકાર દ્વારા આગામી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી રાત્રી કરફ્યુ યથાવત રહેશે. જોકે, આ દરમિયાન ઘણા લોકોના ઘરે લગ્ન પ્રસંગ છે અને તેઓ માટે મુશ્કેલી ઊભી થઈ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ જણાવ્યું છે કે , અત્યારે અમદાવાદના ત્રણ દિવસ પૂરતી વાત કરું તો જેના ઘરે લગ્ન પ્રસંગ હોય તો તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં માહિતી આપશે. મહેમાનો માટે જે 200ની સંખ્યા અગાઉથી આપણે મર્યાદિત કરી છે તે 200 વ્યક્તિઓ માટેની યાદી આપશે તો તે પ્રમાણે પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે. અમે વિનંતી કરીએ છીએ કે દિવસ દરમિયાન જ 200 લોકો સુધીનું લગ્ન કે રિસેપ્શન રાખવાનો પ્રયાસ કરે જેથી કરીને રાત્રીની મંજૂરી લેવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય.
નવસારી જિલ્લામાંથી પ્રસાર થતો નેશનલ હાઇવે 48 ઉપર આવેલા ખેતેશ્વર ધાબા પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધાબા પર કામ કરતાં વેટર સાથે અજાણ્યા લોકોએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.કામ કરતાં વ્યક્તિ પાસે પાંચ થી સાત હજાર રૂપિયા લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ થતા અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. કામ કરનાર વ્યક્તિ ઘાયલ થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમા ખસેડવામાં આવ્યો હતો.નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.