દિવાળીના તહેવારો અને ચુંટણીઓ પત્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે દેશમાં રાજધાની દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના ફરીથી વકર્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 90.50 લાખને પાર પહોંચી છે, જયારે 1.32 લાખથી વધુ લોકોના મોત થયા છે. જો કે આ વચ્ચે રાહતની વાત એ છે કે, સમગ્ર દેશમાં ૮૪.૭૫ લાખ લોકો સાજા પણ થયા છે. જયારે હવે દેશમાં 4.41 લાખ જેટલા એક્ટીવ કેસ છે. આ દરમિયાન દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 46 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, જયારે ૫૫૦થી વધુ લોકોના મોત થયા છે. જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.
Categories