Categories
રાષ્ટ્રીય

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં થયો વધારો

દિવાળીના તહેવારો અને ચુંટણીઓ પત્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે દેશમાં રાજધાની દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના ફરીથી વકર્યો છે. આ દરમિયાન દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 90.50 લાખને પાર પહોંચી છે, જયારે 1.32 લાખથી વધુ લોકોના મોત થયા છે. જો કે આ વચ્ચે રાહતની વાત એ છે કે, સમગ્ર દેશમાં ૮૪.૭૫ લાખ લોકો સાજા પણ થયા છે. જયારે હવે દેશમાં 4.41 લાખ જેટલા એક્ટીવ કેસ છે. આ દરમિયાન દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 46 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે, જયારે ૫૫૦થી વધુ લોકોના મોત થયા છે. જે સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *