ભારતમાં મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગતોને બેંક સ્થાપિત કરવા માટે મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી છે. આરબીઆઇની પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે.રિઝર્વ બેંકની આંતરિક સમિતીએ ખાનગી બેંકો માટે લાયસન્સ પોલીસીમાં ફેરફારો કરવા માટેની ભલામણ કરી છે. ભારતમાં બેંકો સ્થાપિત કરવા માટે મોટા કોર્પોરેટ હાઉસ અને વ્યક્તિગત ગૃહોને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે ચર્ચા વેપારી જગતમાં જોવા મળી રહી છે. મોટા કોર્પોરેટ હાઉસને મંજુરી આપવા માટે ભલામણ કરવામાં આવ્યા બાદ બેકિંગ રેગ્યુલેશન એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવશે. આરબીઆઇ કમિટીએ કહ્યુ છે કે 15 વર્ષ બાદ પ્રમોટરોને 15 ટકાના બદલે 26 ટકા મર્યાદા રાખવાની મંજુરી આપવી જોઇએ.