અમદાવાદ – મહેસાણા હાઈવે પર નંદાસણ નજીક આવેલ ગાર્ડન સફારી હોટલ સામે સવારના પાંચ વાગ્યાના સુમારે ભાવનગર થી આવતી લકઝરી બસ નંદાસણ નજીક હાઈવે પર ઉભી હતી. ત્યારે પાછળ થી આવતી લકઝરી બસ નાં ડ્રાઈવર ગફલત ભરી રીતે જોરદાર ટક્કર મારતાં જાહીદભાઈ શેખનું મોત નિપજ્યું હતું અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ મામલે નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
Categories