આનંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ માટે લોકડાઉન અમલી કરવામાં આવતા બજારો બંધ રહ્યા છે. કોરોના સંક્રમણના ફેલાવાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા બજારો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. નગરપાલીકાના જાહેરનામાને પગલે ઓડ ગામ સંપુર્ણ બંધ રહેતા રસ્તા સુમસામ રહ્યા હતા. અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા રાજ્યમાં મોટા શહેરોમાં સંચારબંધી લાગુ કરવામાં આવી છે. જે રાત્રી ગાળામાં અમલી રહેશે.
Categories