Categories
અમદાવાદ ગુજરાત

કરફ્યું દરમિયાન ઉમેદવારો અમદાવાદથી સીએની પરીક્ષા આપી શકશે

અમદાવદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએ પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આપવામાં આવી છે.આઇસીએઆઈ અમદાવાદના અધ્યક્ષ સીએ ફેનીલ શાહે ઉમેર્યું હતું કે, અમદાવદ શહેરમાં 19 સેન્ટરો પર તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યાં આશરે 2500 થી 3000 વિદ્યાર્થીઓ 21 મીએ સીએ ફાઇનલ અને 22 મીએ ઇન્ટરમીડિએટ માટે પરીક્ષા આપશે.આઇસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલના સભ્ય સી.એ. અનિકેત તલાટીએ ઉમેર્યું હતું કે, નવેમ્બર 2020 આઇસીએઆઈની પરીક્ષાઓ 21 નવેમ્બર 2020 થી વૈશ્વિક સ્તરે 1085+ પરીક્ષા કેન્દ્રોમાં યોજાનાર છે. COVID-19 રોગચાળાની અસરને સમજતાં, ICAI એ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે 21 મી જાન્યુઆરી 2021 થી મે 2021 ની પરીક્ષા ઉપરાંત અલગ પરીક્ષા પણ લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *