અમદાવાદમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે અમદાવાદમાં વાહનોના પૈડા થંભી ગયા છે. જેને લઇને મુસાફરોનો સૌથી મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો અટવાયા હતા. જોકે, મુસાફરો માટે AMTS બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. રેલવે મુસાફરો માટે ખાસ એએમટીએસની (AMTS)વ્યવસ્થા કરવામાં આવી છે. ઘણા મુસાફરોને બસ અંગે જાણ ન થતાં તેઓ અટવાયેલા છે. આ સ્થિતિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઊડતા જોવા મળ્યા હતા.