નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સમરોલી ગામેથી પસાર થતા અંભેઠા ગામ સુધીના રસ્તા ઉપર બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડાના કારણે મોટી દુર્ઘટના થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. વહેલી તકે આ ખાડાને ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રાત્રી ગાળાં મોટી દુર્ઘટનાનો ખતરો વધારે છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઉદાસીનતા દેખાઇ રહી છે. લોકોનુ કહેવુ છે કે અહીંથી પસાર થતી વેળા કોઇ પણ સમય મોટી દુર્ઘટના થઇ શકે છે. તંત્ર દ્વારા જલ્દી રસ્તાનું સમારકામ હાથ ધરવા અને ખાડા ટેકરાને પુરી દેવાની લોકો માંગ કરી રહ્યા છે
Categories